કોરોનાની દહેશત...આ દેશમાં લોકડાઉનનો ભંગ કરનારાઓને ગોળીથી વિંધી નાખ્યા

જે લોકો લોકડાઉન તોડવામાં શાન સમજે છે અને લોકડાઉનના લીરેલીરા ઉડાવવાનો વિકૃત આનંદ લે છે તેમના માટે મહત્વના સમાચાર છે.

કોરોનાની દહેશત...આ દેશમાં લોકડાઉનનો ભંગ કરનારાઓને ગોળીથી વિંધી નાખ્યા

નવી દિલ્હી: જે લોકો લોકડાઉન તોડવામાં શાન સમજે છે અને લોકડાઉનના લીરેલીરા ઉડાવવાનો વિકૃત આનંદ લે છે તેમના માટે મહત્વના સમાચાર છે. આ ક્રુરતા નહીં પરંતુ અનુશાસનના કઠોર પાઠ છે. કોરોના મહમારીનું સક્રમણ એક કડવું સત્ય છે. વાયરસથી પેદા થયેલા સંક્રમણને ફેલાતો અટકાવવા માટે દુનિયાભરમાં લોકડાઉન લાગેલુ છે. આ લોકડાઉનને લગાવનારા દેશોમાં ભારત પણ સામેલ છે. પરંતુ અન્ય દેશોની જેમ અહીં પણ લોકડાઉનમાં લોકો રસ્તાઓ પર નીકળતા જોવા મળે છે. નાઈજીરિયામાં કઈંક આવું જ જોવા મળ્યું હતું તો પોલીસે એકદમ કડક કાર્યવાહી કરી અને હવે દૂર દૂર સુધી કોઈ ત્યાં જોવા મળતું નથી. નાઈજીરિયામાં લોકડાઉન તોડનારા 18 લોકોને પોલીસે ગોળીએ વિધી નાખ્યાં. 

નાઈજીરિયામાં જ્યારે પોલીસે જોયુ કે લોકો અનેકવાર કર્ફ્યૂ તોડીને ઘરબહાર આવી જાય છે. ત્યારે તેમણે કડક પગલાં લેવાનું નક્કી કર્યું. પહેલા નાગરિકોને ચેતવણી આપી કે સરકારી આદેશોનું પાલન નહીં કરે તો કડકાઈ હાથ ધરાશે. પરંતુ આમ છતાં લોકોએ સરકારી આદેશોનું પાલન ન કર્યું અને ત્યારબાદ પોલીસે પણ તેમને ક્ષમા ન આપી અને 18 જેટલા લોકોને ગોળીએ વિંધી નાખ્યાં. 

જુઓ LIVE TV

ગોળીથી વધારે મર્યા અને કોરોનાથી ઓછા
આ આંકડા દુ:ખદ છે જે જણાવે છે કે આ દેશમાં ગોળીથી જેટલા મર્યા તેના કરતા તો આખા દેશમાં કોરોનાથી ઓછા મર્યા છે. નાઈજીરિયામાં કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલાની સંખ્યા માત્ર 13 છે. આ દેશમાં પણ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ અનુસાશથી વધુ સ્વતંત્રતાને મહત્વ આપે છે. તેણે પોતાના રિપોર્ટના માધ્યમથી કહ્યું કે તેમને મળેલી ફરિયાદોનો આધારે નાઈજીરિયાના 36 રાજ્યોમાંથી 24 રાજ્યોમાં સુરક્ષાદળો દ્વાર માનવાધિકારોના ભંગની ઘટનાઓ જાણવા મળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news